Wednesday 19 December 2012

Raika Bio-cultural Protocol

અમારી ચરાવવાની પદ્ધતિઓ રુઢિગત પરિતંત્ર જ્ઞાનના આધારે પાંચ વર્ષ દર્મ્યાન ઋતુ પ્રમાણે નિયત એક ચક્કરમાં સ્થાપેલ છે. કેટલાક વૃક્ષની કાપણી દ્વારા તેમજ ઊંટ દ્વારા વૃક્ષોનો ઉપરનો ભાગ ચરવાથી વૃક્ષૌનો વિકાસ થાય છે. રૂઢિગત રીતે જ્યાં અમારા પ્રાણીઓ ચરે છે ત્યાં કરવામાં આવેલ અભ્યાસ મુજબ વૃક્ષૌનો મજબૂત વિકાસ નોંધાયો છે.
આમારુ પશુધન જંગલની પશુવિવિધતાનૂ એક અભિન્ન અંગ બની ગયુ છે. ચિત્તા અને વરુ જેવા શિકારીઓ પરંપરાગત રીતે અમારા પશુધનનો શિકાર કરે છે, આથી અમે પશુધનમાં થતા ઘટાડાને પારિતંત્ર સાથે કુદરતી રીતે અભિન્ન સંબંધ માનીએ છીએ. કુમભાલગારહ અભ્યારણયમાં થયેલઅભ્યાસ દર્શાવે છે કે ચિત્તા અમારા પશુધન પર નિર્ભર છે અને પશુઓને અભ્યારણ્યમાંથી બાકાત કરતા ચિત્તાઓનો નકારાત્મક અસર તરીકે ગામો પર હુમલામાં સતત વધારો જે ખતરનાક સંઘર્ષમાં પરિણમે છે.  
અમે ચારણભૂમિની નજીકના ગામવાસીઓને પથદર્શન કરીએ છીએ. અમે અમારા પશુઓને ખેડૂતોને ત્યાં થોડો વખત રાખીને અથવા પશુઓનું તેમને વેછાણ કરીને ખાતર પૂરુ પાડીએ છીએ. આજુબાજુના લોકો વિવિધ જરુરિયતો જેમ કે આગ માટે સુકુ લાકડુ, ચારા માટે, કૃષિમાં પોષકતત્વ માટે, ઔષધિ, છાપરુ અને ખોરાક વગેરે એકઠુ કરવા, જંગલનો વિવિધ રીતે ઉપયોગ કરે છે  
અમારી પશુજાત અનન્ય છે કેમકે જે ક્ષેત્રમાં અમે તેમને ચરાવીએ છીએ જંગલ, ગૌચર અને મંદિર આસપાસની જગ્યા સાથે અમારા લાંબા સમયના પરસ્પર આવલંબનથીઆ સ્થળોનુ પારિતંત્ર એક વિશેષ દેહાતી પ્રણાલીમાં વિકાસ પામ્યુ છે. અમે જંગલ, ગૌચર અને મંદિર આસપાસની જગ્યાનું એક અભિન્ન અંગ છીએ અમે તેમના વિના જીવિત રહી શકીએ તેમ નથી અને તે અમારા વગર પિડાશે. 
અમારી વિવિધ જાતો, અમારુ પરંપરાગત જ્ઞાન તેમજ કુદરતી છોડ અને પશુઓનું પારિસ્થિતિકતંત્ર જાળવવા અમે જંગલ, ગૌચર અને મંદિર આસપાસની જગ્યામાં અમારા પશુઓને ચરાવાનુ નિરંતર રાખવા માંગીએ છીએ.
પૂર્વ મંજૂરી તથા લાભ વ્હેંચણી
અમારા પશુ આનુવંશીક સંશાધનો અને સાથે સંકળાયેલ જાતી વિવિધતા પ્રજનન અને પશુચિકિત્સા અંગે અમારુ પરંપરાગત સમૂહ જ્ઞાનના અમે હકદાર છીએ. 
અમારા પશુ આનુવંશીક સંશાધનો અને સાથે સંકળાયેલ જાતી વિવિધતા પ્રજનન અને પશુચિકિત્સા અંગે અમારુ પરંપરાગત સમૂહ જ્ઞાનના અમે હકદાર છીએ. અમારા રુઢિગત કાયદા દ્વારા અમારા સમૂહના નિર્ણય લેવાય છે. આમારા પૂરા સમાજને લગતા વિવાદ માટે અમે સમાજ પંચાયતની સ્થાપના કરી છે જેમાં મામલાની ગંભીરતા અને ધારાધોરણ પ્રમાણે અમારા એકથી ચોવીસ ગામના વડીલોનો સમાવેશ કરવામાં આવે છે. અમારા વડીલો નિર્ણય લેતી વખતે પરંપરાગત રુઢિગત ધારાધોરણોનું પાલન કરે છે. 
અમારી કોમની પંચાયત હંમેશા બહારના તત્વો દ્વારા અમારી આજીવિકા અથવા મારી પશુજાતને લગતા અને સાથે સંકળાયેલ પરંપરાગા જ્ઞાન પર અસર કરતા મામલા પર ધ્યાન આપશે. જેમ કેઅમારા ચરાઈ હકોમાં કોઇ સુધારાવધારા કરતા પહેલા અમારો સંપર્ક જરુરિ છે. સંશૌધકો જો અમારા પશુ આનુવંશિક સંશાધનો આને પરંપરાગત જ્ઞાનનો આર્થિક રીતે ઉપયોગ કરવા માંગે તો અમને તેને સંગત બધી જ માહિતી આપવામાં આવે અને કોમપંચાયતમાં ચર્ચા કરી નિર્ણય લેવા પૂરતો સમય આપે કેમકે અમારૂ જ્ઞાન એ કોિ એેની માલિકીનું નથી પણ પૂરા સમાજનું છે. અગર અમે અમારા જ્ઞાનને વાપરવાની રજા આપીએ તો તેમાંથી થતા પરસ્પર મંજૂર શર્તોઅનુસાર લાભની વ્હેંચણી અંગે અમને વાતાઘાટ કરવાનો હક છે.  
Re-narration by Amrapali in Gujarati targeting Rajasthan for this web page

No comments:

Post a Comment